Thursday, December 17, 2015

જીવન માં આદર્શ ગુરુનું મહત્વ

આપના શાસ્ત્રો માં હિન્દૂ શબ્દ નો ઉલ્લેખ જ નઈ કર્યો. જેનો ઇતિહાસ બહુ લાંબો છે. આપના ધર્મ ને સનાતન ધર્મ કહેવાતો હતો. અને એ સનાતન ધર્મ માં પેહલા ભણતર માટે ગુરુકુલ પદ્ધતિ હતી, જે અત્યારે પણ કેટલીક જગ્યાએ જીવિત છે. એ વખતે જે ગુરુ હોય તે પોતાના શિષ્યને બે માર્ગ વિશે ભણાવતા.
1. શ્રેયશ માર્ગ (આલોક અને પરલોક વિષે)
2. પ્રેયશ માર્ગ (ભૌતિક વસ્તુ વિશે)
આ બંને માર્ગ માં દુનિયા ની બધી જ વસ્તુ આવરી લેવાતી. અને આ જ હિન્દૂ સંસ્કૃતિ ને બળ આપનારું હતું. સન. 1813 માં જયારે બ્રિટિશ ના લોકો ને ખબર પડી કે ભારત દેશ ને જો ગુલામ કરવો હોય તો પેહલા એને ભાખરી કરવો પડશે, કેમ કે અત્યારે આ દેશ માં કોઈ ભિખારી છે જ નઈ, અને બીજું એનું આધ્યાત્મિક જ્ઞાન ભુલાડવું પડશે. તેના પછી આપના દેશ માં અંગ્રેજી ભાષા અને પદ્ધતિ થી ભણવાનું ચાલુ કરવા માં આવ્યું અને અત્યારે તે ચાલી રહ્યું છે.
એ ગુરુ કે જે આપના જીવનમાટે ખુબ જ જરૂરી છે,એમના માટે વિદ્વાનો કહે છે કે, જીવન માં ખાવાનું ના મળે તો ચાલે, પીવા માટે પાણી ના મળે તો ચાલે, અને એટલે હદ સુધી મહત્વ છે કે શ્વાસ ના મળે તો ચાલે પણ ગુરુ વિના ના ચાલે.
એ ગુરુ નું મહત્વ સમજાવતા આપના આદિ ગુરુ શંકરાચાર્ય કહે છે કે,
शरीरं शुरूपम, सदरोग मुक्तम्, यसश चारु चित्तं, षडंघोट्वि वेदों मुखे शास्त्री विद्यः
ततः किं ततः कीं ततः कीं ।
આનો અર્થ સમજતા પેહલા શંકરાચાર્ય વિષે જાણીએ.
આદિ ગુરુ શંકરાચાર્ય એ આદ્યવેંત સિદ્ધાન્ત ના પ્રણેતા છે. એ શાસ્ત્ર માં ભૌતિક વિજ્ઞાન ના બધાજ સિદ્ધાન્તો ને વેદ ના આધારે જણાવવામાં આવ્યા છે. અને એ બધાજ સિદ્ધાન્તો, principles ને અત્યાર ના મહાન વિજ્ઞાનીઓ, ભૌતિક્શાસ્તરીઓ accept કરે છે.
શંકરાચાર્ય એ ૧૬ વર્ષ ની ઉંમરે એક આંદોલન ની શરૂઆત કરી અને માત્ર ૧૬ વર્ષ ના ગાળા માં એટલે કે ૩૨ વર્ષ ની ઉંમરે એ આંદોલન ને પૂર્ણ પણ કર્યું. એ હતું બૌદ્ધ ધર્મ ને ભારત  માંથી મૂળ થી ઉખડાઈને ફેંકી દેવું. એ વખતે બૌદ્ધ ધર્મ અફઘાનિસ્તાન થી લઈને બલ્ક, બુખારા સુધી, ચીન થી શ્રીલંકા સુધી, જાપાન થી ઇન્ડોનેશિયા સુધી પ્રચલિત અને શવિકાર્ય હતો. પણ શંકરાચાર્ય નું એવું હિન્દુત્વનું મોજું ફર્યું કે ભારત માંથી બૌદ્ધ ધર્મ નો નામોનિષેશ ના રહ્યો. અત્યારે પણ ભારત માં બહુ ઓછી જગ્યાએ બૌદ્ધ ધર્મ ના અનુયાયી રહ્યા છે. એ આદિ ગુરુ ના આ સંસ્કૃત ના વાક્ય નો મતલબ નીચે આપેલ છે.
એટલે કે કોઈ વ્યકિત આખી દુનિયામાં સૌથી સુંદર હોય. એના જેવું સૌંદર્ય કોઈની જોડે ના હોય.
પછી એને કોઈ પણ પ્રકાર નો રોગ ના હોય. એટલો બધો તાકાતવર અને બળવાન હોય કે બંને બગલ માં કોઈને જકડી લે તો તે માણસ ભુખો થાયીને બહાર નીકળે, એના જેટલો તાકાતવર આખી દુનિયા માં કોઈ ના હોય તેવો.
અને પાછો આખી ગામ માં, શહેરમાં, રાજ્યમાં, દેશમાં, દુનિયા માં, બધેજ એ ખુબ જ સન્માન થી જોવાતો હોય. જ્યાંથી જય ત્યાં ફક્ત એની જ વાત થતી હોય, ફક્ત એના જ ગુણ ગાન ગવાતા હોય.
અને હજુય ચારેય વેદ ના ૬ અધ્યાય મોઢે હોય. અને પૂરતી રીતે પોતાના જીવન માં ચારિત્રય માં ઘઢેલાં હોય, અને ખુબ જ સંસ્કારી, નિસકામ વર્તમાન ઘારી, સત્યવાન હોય.
મેરૂપર્વત જેટલી ધન - સંપત્તિ હોય. મેરુ પર્વત એટલે હિમાલય એ મેરુ પર્વત નો પુત્ર ગણવામાં આવે છે. એટલે વિચારો કે મેરુ પર્વત કેટલો મોટો હશે. આટલું બધું સોના મહોર, હીરા માણેક પણ હોય.

"આ બધાજ ગુણ, જ્ઞાન, સન્માન, ધન હોય પણ જો જીવન માં ગુરુ ના હોય તો એ બધું ધૂળ બરાબર છે" - આદિ ગુરુ શંકરાચાર્ય.
એટલે આપણને આ વાત પર થી ખબર પડે કે દુનિયાનું બધું હોવા છતાં પણ જો ગુરુ ના હોય તો બધું નક્કામુ અને ધૂળ બરાબર છે.
The great Alexander king સિકંદર પણ એની અંતિમ અવસ્થમા માં કહે છે કે, મેં આખી દુનિયાને જીતી પણ મારી નનામી ૪ હકીમો જોડે ઉચકાવજો, જેથી બધાને ખબર પડે કે દુનિયા ના સૌથી કુશળ વૈદ્ય મારી જોડે હતા પણ હું મૌત થી બચી ના શક્યો.
મારા બંને હાથ આકાશ તરફ ખુલ્લા રાખજો જેથી બધાને ખબર પડે કે હું આટલા બધા રાજ્ય જીત્યો, ધન સંપત્તિ, એકથી કરી પણ એક પૈસો પણ લઇ નથી જવાનો.
સિકંદર ને પણ મારાં પથારીએ હતો ત્યારે મન માં અશાંતિ હતી કે એનું જીવન વેડફાઈ ગયું અને એને યોગ્ય દિશા ની જરૂર હતી. આવા તો ઘણા બધા ઉદાહરણ અને પ્રસંગો છે જેના પરથી ગુરુ નું જીવન માં મહત્વ ખબર પડે.
યોગીજી મહારાજ એમના પ્રવચન માં કેહતા કે સાચા, આદર્શ ગુરુ ની ઓળખ ત્રણ બાબત પર થી થાય સકે તેમ છે.
૧.ગુરુના ગુરુ
૨.પોતે ગુરુ
૩.ગુરુ ના શિષ્ય

આપણે ધીરે ધીરે સમજણ પૂર્વક ત્રણેય બાબતને સમજીશું.
પહેલું છે ગુરુના ગુરુ. તો આપના ગુરુ પ્રમુખસ્વામી મહારાજ ના ગુરુ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ હતા.
આ બંને ગુરુ ના જીવન ચરિત્ર ના પેહલા ૧૦૦ પણ વાંચશો તો ખબર પડશે કે એમના જીવન માં કેવી સાધુતા ગઢાયેલી છે અને એ આ દુનિયા ની કેવી વીરલ બાબત છે.
સ્વામી ચિન્મયાનંદ નો પરિચય મેળવીએ, કે જે પોતે વિશ્વ હિન્દૂ પરિષદ ના સંસ્થાપક છે. અને એમનું પ્રવચન હોય ત્યારે દેશભરના મોટા મોટા IAS Officer આવ્યા હોય અને ચાલુ પ્રવચનો કોઈની હિમ્મત નાઈ કે ચાલુ પ્રવચન માં ઉભા થાય. એટલઈ રશપ્રદ એમની કથાવાર્તા રેહતી.
ચિન્મયાનંદ સ્વામી એટલે રામ જન્મ ભૂમિ અને કૃષ્ણ જન્મ ભૂમિ ની ચિનગારી લગાવનાર ક્રાંતિકારી.
તે જયારે આદિ ગુરુ શંકરાચાર્ય રચિત ચરપટ મંજરીકા સ્તોત્ર પર વ્યાખ્યાન ચલાવે તો સતત એક વર્ષ સુધી ઇંગલિશ માં પ્રવચન કરે. અને નવાઈ થશે કે એ સ્તોત્ર માં ફક્ત ૧૨ જ શ્લોક આપેલા છે. આવી અદભુત, powerful વ્યક્તિ ચિન્મયાનંદ છે.
આ ચિન્મયાનંદ સ્વામી યોગીબાપા ને જોઈને હર્ષદભાઈ દવે ને કહે, યોગીજી મહારાજ જેવા સ્વામી અત્યાર સુધી જોયા નથી જેમના કપાળ માં બ્રહ્મચર્ય નું તેજ સહજ દેખાય આવે છે. તેમને પોતાનો અભિપ્રાય પાત્ર રૂપે યોગી બાપા વિષે લખ્યો છે અને તે જીવન ચરિત્ર માં છપાયો છે. એનો સાર આ પ્રમાણે થાય છે,
ઉપનિષદો માં જે બ્રહ્મ ની વાત આવે છે બ્રહ્મ ના આનંદ ની વાત આવે છે એ બ્રહ્મ નો આનંદ અત્યારે યોગીજી મહારાજ માં સાક્ષાત દેખાય છે.
ગુલજારીલાલ નંદા કે જે ભારત ના વડાપ્રધાન હતા, તે પણ ખુબ જ વિદ્વાન હતા. તે જયારે પણ ગુરુ શાસ્ત્રીજી મહારાજ ના શાનિધ્ય માં જતા એમની સાથે વાત કરતા ત્યારેનો અનુભવ તે કહે છે.
હું જયારે જયારે શાસ્ત્રીજી મહારાજ પાસે જતો, તો જેમ camera ઝડપથી picture capture કરી લે તેમ શાસ્ત્રીજી મહારાજ મારા મન ના સંકલ્પો પકડી લેતા, અને મારા મન ના જેટલા પણ દોષ હતા તે પણ શાંત પડી દેતા. હું અતિ ક્રોધિત વ્યક્તિ, દોશી વ્યક્તિ જ્યારે પણ મહારાજ પાસે જતો અને મારા બધા જ દોષ, મન ને શાંત પડી દેતા.
આવા શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જેમના ગુરુ હોય તેવા પ્રમુખસ્વામી મહારાજ નું સામર્થ્ય કેવું હશે.
હવે, ગુરુ ના શિષ્યો Dr. સ્વામી, મહંત સ્વામી, વિવેકસાગર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, કોઠારી સ્વામી આ કેટલા powerful સ્વામી છે.


👣 થઇએ સ્વામી જેવા  👣

🌹 "ભવસાગર તારનારા ....!!! '🌹

Jai Swaminarayan,                                                                      
વિદ્યાનગરમાં નવું નવું સ્વીમીંગ પુલ બંધાયું હતું તેથી બધા યુવકોએ સ્વીમીંગ શીખવા માટે ફોર્મ ભર્યા હતા. 

તેમાં હરેશ મોરડિયા નામના યુવકે સ્વામીશ્રી સમક્ષ પોતાનો પહેલા દિવસનો અનુભવ રજુ કરતા કહ્યું," સ્વામી અમને પહેલા દિવસે તો એવું જ થયું કે અમે ડૂબી જ જઈશું, ધામમાં જ જતા રહીશું." 

સ્વામીશ્રી કહે, " કેમ શું થયું ?"

હરેશ કહે," બાપા, પહેલા તો અમને પુલ ઉપર ઉભા રાખ્યા અને પાછળથી અમારા કોચે આવીને અમને ધક્કો માર્યો "

સ્વામીશ્રીએ મરક મરક હસતા પૂછ્યું, " પછી શું થયું ? "

હરેશ કહે, " અમને તરતા તો આવડતું જ નહોતું એટલે થયું કે હવે તો ડૂબ્યા જ સમજો ...હું હાથ હલાવું તો પણ કોચ તો ઉભો ઉભો હસે. હું ત્રીજી વખત હાથ હલાવતો ઉપર આવ્યો ત્યારે મારા કોચે હાથ પકડીને મને બહાર કાઢ્યો.પછી મેં પૂછ્યું કે તમે મને કેમ ધક્કો માર્યો ? તો કહે પહેલા તો મારે તારી પાણીની બીક કાઢવી પડે ને "

સ્વામીશ્રીએ પૂછ્યું ," પછી શું થયું ? "

વાત આગળ કહેતા કહે," સ્વામી  પછી તો ધીરે ધીરે મારી બીક જતી રહી. એમ થયું કે કોચ મારી જોડે છે પછી મારે બીક શાની , હવે ડુબાશે નહિ . ત્રણ ચાર દિવસમાં તો ધીરે ધીરે આવડી ગયું....." આટલું કહીને પછી ધીરે રહીને હરેશે કહ્યું," સ્વામી, આવી જ રીતે અમને ભવસાગર તરાવજો." 

સ્વામીશ્રી કહે, " પહેલા તો તું મને એ કહે કે તારે તરવું હતું તો તું ત્યાં શીખવા ગયો ને ? "

હરેશ કહે ," હા બાપા"  

સ્વામીશ્રી કહે, "એમ આપણે પણ મોક્ષનો ખપ હોય તો સત્સંગમાં અવાય અને પછી તે તરનાર જાણનાર એવા કોચને તે શોધી લીધો ને ? "

હરેશ કહે ," હા બાપા"  

સ્વામીશ્રી કહે," પણ આપણે તો હવે શોધવાના પણ નથી રહ્યા. જોગી મહારાજ સાક્ષાત મળ્યા છે. " 

પછી કહે," તને કોચે ધક્કો માર્યો તો તને કોચનો અવગુણ આવ્યો " 

હરેશ કહે," ના બાપા, " 

સ્વામીશ્રી કહે," તું છેલ્લે શું સમજ્યો ?" 

હરેશ કહે," બાપા , એમણે મને ધક્કો માર્યો તો મારા સારા માટે, મને શીખવા માટે...."

સ્વામીશ્રી કહે," જેમ તને કોચનો અવગૂણ ના આવ્યો એમ સત્પુરુષનો પણ અવગુણ ના આવવો જોઈએ.......સત્પુરુષ આપણાં જીવનમાં ગમે તેવો દેશકાળ ઉભા કરે તે આપણાં  સારા માટે જ હોય...જેમ કોચને તું જાણતો પણ ન હતો છત્તા તને મનાયું કે એમણે મને શીખવાડવા જ ધક્કો માર્યો છે તેમ સત્પુરુષ પણ આપણને ધક્કો મારે તે આપણને આગળ વધારવા માટે જ મારે...તને જેમ પાણીમાંથી ક્યારે જલ્દી બહાર નીકળું એમ થતું હતું ને તેમ જ સંસારમાં રહેતા રહેતા કેમ કરીને માયામાંથી બહાર નીકળું એમ રાતદિવસ અંતરમાં રહેવું જોઈએ ...તો સત્પુરુષ જાણે કે આ મુમુક્ષુ છે..." 

અને પછી આગળ અદભૂત વાત કરતા કહ્યું," તું ડૂબતો હતો, તારી શક્તિ ખૂટી ગઈ તો ટાઈમે કોચ આવી ગયો ને બસ, એમ જ જોગી મહારાજ અને મહારાજ ટાઈમે આવી જશે, તને ડૂબવા નહિ દે, માટે ચિંતા ના કરીશ...કર્તાહર્તા એ જ છે. તેઓએ હરિભક્તોના દેશકાળ ઉભા પણ કર્યાં છે અને સમાવ્યા પણ છે અને બધાને આનંદથી ભજન ભક્તિ ,સત્સંગ કરી શકે એવું ગોઠવી પણ દીધું છે ...ફક્ત ધીરજ, શ્રદ્ધા , પ્રતીતિ રાખીને સત્સંગ માં સેવા કર્યા કરવી...." 

No comments:

Post a Comment